પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઈ ના બ્લોગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

Sunday, 28 August 2016

૨૯ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ ડે-ફક્ત નામનો સ્પોર્ટ ડે કે જે આપણે ઓલમ્પિકમાં જોયુ!!!!!!!

નેશનલ સ્પોર્ટ ડે -૨૯ ઓગસ્ટ એટલે  બહુ જાણીતા હોકી પ્લેયર- મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ. તેમને આપણા દેશ માટે હોકી રમતાં ઓલમ્પિક વર્ષ-૧૯૨૮,૧૯૩૨,૧૯૩૬ લાગલગાટ ત્રણ વર્ષ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

હવે ઓલમ્પિક -૨૦૧૬માં આપણા દેશમાં રાજકારણે , ઓળખાણ, ભ્રષ્ટાચારે અને આ સિસ્ટમ ના પરિણામે આપણા ૧૨૫ કરોડ લોકો ના દેશમા  આપણે એકાદ ગોલ્ડ મેડલ માટે રીતસર તડપી રહ્યા હતા. ખરેખર તો ખેલાડીઓ જન્મથી જ તૈયાર થાય છે. એમને યોગ્ય વાતાવરણ, સપૉર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોચીન્ગ , સ્પોર્ટ ઓરીએન્ટીડ પ્રોગ્રામ માં ભાગ લેવો વગેરે પુરૂ પાડવુ જોઈએ.
ખરેખર ત્યારે જ આપણે ધ્યાનચંદને ખરેખરી ક્ષ્રધાજલી આપી કહેવાશે!!!!!!

ચક દે ઈન્ડિયા!!!!!

Monday, 22 August 2016

જંક ફૂડ : ખોરાક ભેગું ખવાતું કેમ‌િકલ્સનું સ્લો પોઇઝન

અમેરિકી પ્રમુખના નેજા હેઠળ જેનું ગઠન કરવામાં આવ્યું છે તે US President's Cancer Panel નામની સરકારી સંસ્થાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાની વર્તમાન વસ્તીના ૪૧% લોકો ભવિષ્યમાં કેન્સરનો ભોગ બને તેવી સંભાવના છે. જુદી રીતે કહો તો અમેરિકાના દર બે પૈકી એક પુરુષ અને દર ત્રણ પૈકી એક મહિલા આગામી વર્ષોમાં કેન્સરનો શિકાર બને તેમ છે. આ સંભવિત સ્થિતિ બદલ Cancer Panel સંસ્થાએ રસાયણોના બેફામ ઉપયોગને દોષિત ઠરાવ્યો છે. પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોમાં વિવિધ જાતનાં કેમિકલ્સનો અમેરિકામાં છૂટે હાથે વપરાશ થાય છે. આમાં કેટલાંક કેમિકલ્સ એવાં છે કે જે શરીરમાં mutation/ ગુણવિકાર વડે જિનેટિક બ્લૂપ્રિન્ટમાં ફેરફાર આણી છેવટે કેન્સરને તેડું આપે છે. અમેરિકાની બહુધા પ્રજા ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ પર નભે છે, એટલે કેન્સર પેનલે વ્યક્ત કરેલા સંશય મુજબ એ દેશને ભવિષ્યમાં કેન્સરનો ભરડો દેવાય તો નવાઇ નહિ.


કેન્સરનો શેષનાગ તો ભારતના માથે પણ ફેણ ચડાવી રહ્યો હોય એમ લાગે છે. એક ઉદાહરણઃ પંજાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હમણાં તેના ૫૨૫ પાનાંના રિપોર્ટમાં જણાવ્યું કે ફાસ્ટફૂડમાં અને રેડીમેડ પ્રોસેસ્ડ ફૂડમાં વિવિધ કેમિકલ્સનો વ્યાપક ઉપયોગ તે રાજ્યમાં કેન્સર પેશન્ટોની સંખ્યા વધારવામાં નિમિત્ત બન્યો છે. પંજાબ જેવી સ્થિતિ ભારતનાં અન્ય રાજ્યોમાં પણ હોઇ શકે, કેમ કે ફાસ્ટફૂડનું અને પ્રોસેસ્ડ ફૂડનું ‘કલ્ચર’ ઘણાખરા ભારતીયોએ અપનાવી લીધું છે. આ ‘કલ્ચર’ના વાદે રોજબરોજ કેટલી જાતનાં હાનિકારક રસાયણો તેઓ પેટમાં ઓરી રહ્યા છે એનાથી જો કે તેઓ અજાણ છે. દા.ત. કેટલા લોકોને એ વાતનો ખ્યાલ હશે કે ટુ-મિનિટ્સવાળી મેગી નૂડલ્સમાં જેની વધુ પડતી માત્રા છે તે lead/ સીસું માનવમગજ માટે વિષ સમાન છે ? લોહીમાં સીસું ભળ્યા બાદ મગજના કોષોમાં તેનો સંગ્રહ થાય છે અને પછી નિકાલ પામતો નથી, એટલે વખત જતાં જ્ઞાનતંત્ર આંશિક યા સંપૂર્ણ રીતે બધિર બને છે. 

મેગી નૂડલ્સના મસાલામાં વપરાતા મોનોસોડિયમ ગ્લૂટામેટ/ MSGની (એટલે કે આજીનોમોટોની) વાત કરો તો તેને પણ શરીર માટેનું સ્લો પોઇઝન કહી શકાય. આજીનોમોટોનું ગ્લૂટામેટ વાસ્તવમાં ગ્લૂટામિક એસિડ ધરાવતું નમક છે, જેનું વધુ પડતું સેવન શરીરની બાયોકેમિકલ પ્રક્રિયાને ખોરવી નાખે છે. પરિણામે સરદર્દ થવું, ફેર ચડવા, પિત્ત થવું, વારંવાર ઝોકાં આવવાં, પસીનો વળવો, આંતરડામાં તકલીફ જણાવી વગેરે જેવી શારીરિક સમસ્યા વધુ-ઓછે અંશે વેઠવી પડે છે. કેટલાક પ્રોસેસ્ડ ફૂડમાં Benzoates નામનું કેમિકલ વપરાય છે, જે પણ માનવમગજ માટે હાનિકર્તા છે. અમુક લોકોને તો બેન્ઝોએટ્સનું એલર્જિક રિએક્શન પણ આવે છે.Mono-Glycerides તેમજ Di-Glycerides નામનાં રસાયણોmutation/ ગુણવિકાર સર્જે તેવાં છે. આ પદાર્થોનું વધુ પડતું સેવન કરનાર સ્ત્રીને શારીરિક ખોડખાંપણવાળું બાળક જન્મી શકે છે. Nitrates તથાNitrites જેવાં ફૂડ પ્રિઝર્વેટિવ્સ અર્થાત પરિરક્ષકો તો ભારોભાર કેન્સરજન્ય હોવાનું જણાયું છે. પ્રોસેસ્ડ ફૂડનું વધુ એક હાનિકર્તા તત્ત્વ હોય તો એ NaCl, જેને સાદી ભાષામાં આપણે નમક યાને મીઠું કહીએ છીએ. ભારતની સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ સંસ્થાએ જણાવ્યું તેમ મેગી જેવા નૂડલ્સમાં તેમજ તૈયાર પોટેટો ચિપ્સમાં મીઠાનું પ્રમાણ બાળકની દૈનિક જરૂરિયાત કરતાં ૬૦% વધુ હોય છે. આવો ખોરાક વખત જતાં બ્લડપ્રેશરને અને ક્યારેક હાર્ટ અટેકને કે સ્ટ્રોકને નોતરી લાવે છે. યાદ રહે કે મીઠાના વધુ પડતા ઉપયોગને કારણે દર વર્ષે જગતમાં ૧૬.૫ લાખ લોકો મોતને ભેટે છે. મીઠાની માફક ખાંડનો પણ વધુ પડતો ઉપયોગ અનેક વ્યાધિઓનું કારણ છે, જે પૈકી સૌથી વ્યાપક વ્યાધિ હોય તો તે સ્થૂળતા છે. માનો યા ન માનો, પણ મલ્ટિપ્લેક્સ થિએટરમાં વેચાતા કોલ્ડ-ડ્રિંકના સરેરાશ ગ્લાસમાં ૨૩ ચમચી ખાંડ હોય છે--અને મોટા કદના ગ્લાસમાં તો ૪૪ ચમચી ! નથી લાગતું કે માત્ર મેગી નૂડલ્સનું નહિ, પ્રોસેસ્ડ ફૂડની બીજી ખાદ્યસામગ્રીઓનું તેમજ કાર્બોનેટેડ ઠંડાં પીણાંનુંય લેબોરેટરી પરીક્ષણ થવું જોઇએ ?

પરંતુ આવાં પરીક્ષણો થાય ત્યારે ખરાં; દરમ્યાન એક મુદ્દો ખુદ આપણે વિચારવા જેવો છેઃ ભારતનું પ્રાચીન તેમજ પરિપૂર્ણ તબીબી વિજ્ઞાન આયુર્વેદ હંમેશાં તાજો રાંધેલો (ચૂલા પરથી ભાણામાં પીરસેલો) ખોરાક ખાવાની સલાહ આપતું આવ્યું છે. વાસી ખોરાકમાં નથી પોષણમૂલ્ય રહેતું કે નથી મૂળભૂત સ્વાદ રહેતો, માટે તે ખોરાકને આયુર્વેદ અપથ્ય ગણે છે. દુર્ભાગ્યે આપણે આયુર્વેદની સલાહ અવગણીને એવા ખોરાક તરફ વળ્યા છીએ કે જેના નામમાં તેનો ગુણધર્મ પણ વ્યક્ત થાય છે : junk !

Safari Science Magazine--Harshal Pushkarna

Saturday, 20 August 2016

ગ્લોબલ વો‌ર્મ‌િંગમાં અાપણો ફાળો કેટલો ? અા રહ્યો (અનેક પૈકી અેક) હ‌િસાબ

ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના બેનર હેઠળ જગતનાં ૧૯૬ દેશો હમણાં પેરિસમાં ભેગાં મળ્યાં. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તેમની વચ્ચે વૈચારિક આદાનપ્રદાનો ઘણાં થયાં, પરંતુ અંતે તો દરેકનો સાર રેતી પીલીને તેલ કાઢ્યા જેવો હતો. ક્લાઇમેટ ચેન્જને લગતી તમામ કોન્ફરન્સમાં આમ જ ‘ખાધું-પીધું ને રાજ કીધું’ જેવું બનતું હોય છે. એક નક્કર વાસ્તવિકતા તેમાં કદી ચર્ચાતી નથીઃ જગતનું પર્યાવરણ બચાવવામાં હવે આપણે મોડા પડી ચૂક્યા છીએ. વળી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પ્રતિદિન વકરતી જાય છે. આમાં બહુ મોટો નકારાત્મક ફાળો આપણી આધુનિક જીવનશૈલીનો છે. ઉદાહરણો ઘણાં છે, પણ બધાંનો સાર જેમાં આવી જાય તેવું એક ઉદાહરણ બટાટાની વેફરના રૂા.૫ વાળા પેકેટનું લઇએ. આ પેકેટમાં માંડ એક બટાટાની કાતરી હોય છે, પણ તે પેકેટ બનાવવાની પ્રોસેસ લાંબી છે અને દરેક સ્ટેજે તેમાં પુષ્કળ energy/ ઊર્જા વપરાય છે. જેમ કે--

આનું વેચાણમૂલ્ય જે હોય તે ખરું, પરંતુ પર્યાવરણની દ્રષ્‍ટ‌િઅે પડતરમૂલ્ય કેટલું ?

(1)            પેકેટ લેમિનેટેડ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એલ્યુમિનિયમ મેળવવા માટે ડીઝલ બાળતા યાંત્રિક સાધનો વડે ખાણકામ કરવું પડે છે. પથરા અને માટી સહિતનો ટનબંધ ore/ અયસ્ક (કાચી ધાતુ) કાઢવો પડે છે.

(2)              આ જથ્થો ડીઝલ બાળીને પ્રદૂષણ ફેલાવતા ખટારા મારફત ઘણા કિલોમીટર છેટે ફેક્ટરીઓમાંsmelting/ ધાતુગાળણ માટે મોકલાય છે.

(3)        કુદરતમાં એલ્યુમિનિયમ મુક્ત સ્વરૂપે હોતું નથી. બોક્સાઇટ તેમાં ભળેલું હોય છે. રિફાઇનિંગ ફેક્ટરી પુષ્કળ વિદ્યુતઊર્જા વાપરીને અયસ્કનું પ્રોસેસિંગ કરે ત્યારે ૪ થી ૬ મેટ્રિક ટને માંડ ૧ મેટ્રિક ટન એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. ધાતુગાળણની પ્રોસેસમાં બાયપ્રોડક્ટ તરીકે ફ્લુરોકાર્બન અને હાઇડ્રોજન ફ્લુરાઇડ જેવા ગ્રીનહાઉસ ગેસ ઉદ્ભવે, જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં વધારો કરનારા છે.

(4)         તૈયાર એલ્યુમિનિયમને વળી ડીઝલ બાળતા ખટારા મારફત એલ્યુમિનિયમ ફોઇલ બનાવતા ઔદ્યોગિક એકમે લઇ જવાય છે. અહીં વિદ્યુતઊર્જા વડે મશીનો ફોઇલ બનાવે છે.

(5)         ફોઇલના ફ્લેક્સ પ્રિન્ટિંગ માટે જે પેઇન્ટ વપરાય તે પેટ્રોલિયમ વડે બનતો હોય છે. આ એ જ પેટ્રોલિયમ કે જે રોજના ૨૫,૦૦૦ ડોલરથી ૨૮,૦૦૦ ડોલરના ભાડે રોકેલા તેલવાહક જહાજ મારફત અખાતી દેશથી ભારતના (કંડલા જેવા) એકાદ બંદરે આવ્યું હોય. FYI : ભારતનું વાર્ષિક પેટ્રોલિયમ આયાતબિલ ૩૮ અબજ ડોલર છે.

(6)           સલ્ફર ધરાવતા ખનિજ તેલનું જામનગરની (કે બીજી કોઇ) રિફાઇનરીમાં વિભાગીય નિસ્યંદન/fractional distillation કરી તેનાં ડિઝલ, નેપ્થા, કેરોસિન, પેટ્રોલ, ડામર વગેરે ઘટકો છૂટાં પડાય છે. આ કાર્યમાં પાછી થોકબંધ ઊર્જા વપરાય છે. નિસ્યંદન થકી પ્રાપ્ત થતું ઓઇલ ફ્લેક્સ પ્રિન્ટિંગના પેઇન્ટ માટે વપરાય છે.

(7)              પેઇન્ટમાં લીલા, કેસરી, ભૂરા, લાલ વગેરે જાતનાં રંગદ્રવ્યો હોય, જેમનુંય પ્રોડક્શન બીજા કો’ક ઔદ્યોગિક એકમમાં વિદ્યુતઊર્જાના તેમજ રાસાયણિક પ્રદૂષણના ભોગે થયું હોય છે. આ રંગદ્રવ્યો + ઓઇલ વડે પેઇન્ટ બનાવતી ફેક્ટરીએ પણ ખાસ્સી વીજળી વાપરી હોય--અને તે ઘણું કરીને કોલસો બાળતા થર્મલ પાવર સ્ટેશનમાંથી આવી હોય છે. કોલસો પાછો બિહાર યા ઝારખંડ જેવા પૂર્વ ભારતના રાજ્યોની ખાણમાંથી (ડીઝલ બાળતા એન્જિનવાળી) ગૂડ્ઝ ટ્રેન દ્વારા થર્મલ પાવરમથકે પહોંચાડાયો હોય છે.

(8)              એલ્યુમિનિયમ ફોઇલ પર ફ્લેક્સ પ્રિન્ટિંગ માટે પાછી વિદ્યુતઊર્જા વપરાય અને પછી પ્રિન્ટેડ ફોઇલને નાના પેકેટનું સ્વરૂપ આપવા હજી વધારે ઊર્જાનો ભોગ લેવાય.

(9)        નમકીન બનાવતી ફેક્ટરી બટાટાના પતીકા પાડી વેફર તૈયાર કરી તેમને એલ્યુમિનિયમ ફોઇલના પેકેટમાં ભરે છે. વેફર બગડ્યા વિના લાંબો સમય જળવાય એ માટે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. આ વાયુનાં ટેન્કર અને કોઠીઓ તૈયાર કરતું યુનિટ પાછું ક્યાંક બીજે હોય છે. ટ્રાન્સપોર્ટ દ્વારા તે વાયુને નમકીન ફેક્ટરી સુધી પહોંચાડવામાં વપરાતા ડીઝલનો હિસાબ જુદો !

(10)       પોટેટો વેફરનાં તૈયાર પેકેટ ડીઝલ બાળતી સેંકડો ટ્રકો દ્વારા ગામેગામ મોકલાય છે, જ્યાંથી હોલસેલરનાં ટેમ્પો જેવાં વાહનો (વળી પાછું ડીઝલ બાળીને) તે માલ દુકાનદારોને પહોંચતો કરે છે.

 આ લાંબો હિસાબ જેના ખાતે લખ્યો એ બટાટાની વેફરના રૂા.૫ વાળા પેકેટમાં માંડ ૧ બટાટા જેટલી (૧૦ થી ૧૨) કાતરીઓ હોય છે. આ નમકીન ખાનારાને તેમાંથી કેલરી આખરે કેટલી મળે ? જવાબ : ૫,૪૦,૦૦૦ કેલરી. બીજી તરફ ૧ લીટર ડીઝલમાં કેટલી ? જવાબ : લગભગ ૯૨,૫૦,૦૦૦ કેલરી. દસથી બાર કાતરીનું ‘મન્ચિંગ’ કરવામાં આપણે વાસ્તવમાં કેટલી કેલરી ઊર્જાનો (ડીઝલનો) અજાણતાં બગાડ કરવામાં નિમિત્ત બનીએ છીએ ! વિચારવા જેવી વાત છે. આધુનિક જીવનશૈલીનો ભાગરૂપ બની ગયેલી આવી તો કેટલીયે ચીજો ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત બની રહી છે. માનવજાત આવી ચીજોના વપરાશનો મોહ તજવા તૈયાર ન હોય તો પછી નવી પેઢી માટે ભવિષ્ય ભારે ચિંતાજનક છે.

Safari Science Magazine --Harshal Pushkarna

Sunday, 14 August 2016

अपना भारत देश - चलो आज भारत देश की शेर करते है।

चलो आज भारत देश की शेर करते है।
और जानते है...भारत क्या हे?
हमारा देश सबसे अनोखा है।
5000 साल पुरानी सभ्यता के कारन
दूसरो को हम " नमस्ते " कहते है।
अलग अलग धर्म के लोग यहॉ रहते है।
फिर भी हमारा देश एक है।
और एक साथ गाते है " सारे जहाँ से अच्छा
हिन्दुस्तां हमारा...हमारा सारे  जहाँ से अच्छा। "
भगवत गीता ,कुरान और बाइबल सभी धर्मग्रंथ
एक ही मेसेज देते है "धर्म की विजय होगी।"
इसीलिए तो हमारा मोटो है-"सत्य मेव जयते।"
आज विश्व में सबसे ज्यादा बोले जानेवाली भाषा
English सबसे ज्यादा यहॉ बोली जाती है।
पर उसके ज्यादातर शब्द संस्कृत से लिए गए है।
जैसे की -"मात्र" बना Mother,"भ्रात्र" बना Brother
"जिओमैत्री" बनी geometry,"त्रिकोणमिति" बनी trignometry।
यहॉ 22 भाषाओ में 5600 अख़बार और 3500 मेगेज़ीन छपते है जिसे
पढ़ने वालो की संख्या 12 करोड़ है।
जो दुनिया के किसी भी देश से बहोत ज्यादा हे।
ये शहीदों की भूमि है,गांधीजी,सरदार,शहीद भगतसिंह,चंद्रशेखर आज़ाद
जेसे वीरो ने जन्म लिए।
हमारा राष्ट्रगीत-जन गन मन (रविन्द्र नाथ टागोर)
और राष्ट्रगान-वंदे मातरम् (बंकिमचंद्र चटर्जी) है।
जिसे गाते समय हर देश वासी की छाती गद् गद् होती है।
हमारे यहॉ 29 राज्य और 7 केंद्रशासित प्रदेश् में
अलग अलग जाती के/धर्म के लोग साथ रहते है।
इन राज्यो में ताजमहल ,सुवर्णमंदिर,तिरुपति बालाजी मंदिर,
लाल किला ,राष्ट्रपति भवन ,जंतर-मंतर,कुतुम्बमीनार देखने लायक हे।
यहॉ का पोस्ट खाता बहुत बड़ा है ।
पुरे देश के छेत्रों  को दो अंको में विभाजित किया है।
रेलवे का नेटवर्क -65808 km है जो की
पुरे विश्व में चोथे नंबर पर है।
यहॉ दूध की नदिया बहेती है।
पुरे विश्व में दूध उत्पादन में दुसरे स्थान पर है। (यूरोपियन यूनियन के बाद)
अमूल डेरी,दूधसागर डेरी,मधर डेरी जेसी बड़ी डेरिया यहॉ है।
अब बात करते है ताकत की ,
दुनिया की सबसे बड़ी -तीसरे नंबर की फोज़ हमारे यहॉ है।
पर हमारी पुरानी सभ्यता के कारन हम सामने वाले जुकके
"नमस्ते " कहते है, ये हमारे संस्कार है।
यहॉ गंगा ,ब्रह्मपुत्रा,नर्मदा जैसी पवित्र नदिया बहेती है।
यहॉ की फलद्रुप जमीन में सभी प्रकार के धान्य भरपूर मात्रा में होते है।
तीनो दिशाओ से हमारी रक्षा जलदेवता करते है।
उन्होंने 7517km लंबा समुद्र दिया हुआ है।
दुनिया की सबसे बड़ी बेंको का नेटवर्क जैसे की
RBI,SBI,ICICI वगैरह है।
उसका सुकान ज्यादतर  महिलाओने संभाला है।
अब बात करते है दिमाग की बात ,
यहॉ 20-IITs ,19-IIMs,31-NITs और 11000  ITIs कार्यरत है।
जिसके कारन डॉक्टर्स,इंजिनीअरस,साइंटिस्टस की गिनती में
हम दुनिया में तीसरे स्थान पर है।
ONGC,IOCL,BHEL,TATA,MAHINDRA & MAHINDRA,ISRO,DRDO
जैसी संस्थाए हमारा गर्व है और सेना ,पोलिस ,RAW,CBI,NSG,NSA,
हिमालय हमारी रक्षा करते है।
दुनिया के सबसे बड़े किचन -भोजनालय यहॉ पर है।
जैसे की-
1)श्री साई नाथ प्रसादालय शिरडी-रोजाना 50000 लोग प्रसाद लेते है।
2)इंडियन रेलवे -IRCTC मुम्बई-रेलवे केटरिंग।
3)अक्षयपात्र -इस्कॉन,हुबली कर्नाटक-रोजाना 30000 students प्रसाद लेते है।
4)गोल्डन टेम्पल अमृतसर,पंजाब-रोजाना 30000 लोग प्रसाद लेते है।
और LPG के 100 cylinder रोजाना use होते है।
5)धर्मस्थला ,भगवान मंजुनाथ मंदिर, कर्नाटक-रोजाना 30000 लोग प्रसाद लेते है।
6)TAJ SATs-air केटरिंग विमानों में केटरिंग करनेवाली दुनियाकी चोथे नंबर की कंपनी है।
इश्मे  3 मंदिर है जो हमारी आस्था के प्रतिक है।
विश्व को योग  से अवगत भारत देश ने करवाया।
पतंजलि जैसे महान योगगुरु यहॉ हो गए।
आखिर में बोलना चाहूँगा ,वो तिरंगा वाला गाना
"मेरी जान तिरंगा है,मेरी शान तिरंगा है।"....

-मेरी भारत माँ को अर्पण...
लेखन:केतन.

Saturday, 13 August 2016

વૃક્ષા રોપણ કાર્યક્રમ-૨૦૧૬ ની એક ઝલક ,તારીખ:૦૭/૦૮/૨૦૧૬

ભારત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપમાં જોડાય અેમાં ચીનને કેમ પેટમાં દુખે છે ?

ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSGનું સભ્યપદ મેળવવા તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમેટિક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને NSG સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતની મુરાદ બર આવવા ન દીધી. ચીનના રાષ્ટ્રવડાએ NSGના સૌ સભ્યદેશોને સ્પષ્ટ જણાવી દીધું કે ભારતને જો NSGનું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? બસ, મામલો ત્યાં અટકી પડ્યો. ભારતને NSGનું સભ્યપદ મળતાં રહી ગયું. પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશનેNSG સંગઠનમાં સામેલ ન કરાય એ તો જાણે જગજાહેર વાત છે, પણ NSGના મેમ્બર થવું ભારત માટે અત્યંત જરૂરી શા માટે છે તે વિગતે સમજવા જેવું છે.

ભારતમાં યુરેનિયમનો કુલ જથ્થો ૫૪,૦૦૦ ટન કરતાં વધારે નથી. આ પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં અણુમથકોની જરૂરિયાત તેમની આવરદા સુધી પૂરી થાય, જ્યારે વીજળીના ઉત્પાદન અંગે ભારતનો પ્લાન તો આવતા એકાદ દસકામાં બીજા ૧,૬૦,૦૦૦ મેગાવોટનો ઉમેરો કરવાનો છે. વિદેશી યુરેનિયમ મેળવ્યા વિના એ શક્ય નથી. બીજી તરફ અણુઊર્જાની બાબતે ભારત વૈશ્વિક લેવલે જ્ઞાતિબહાર મૂકાયેલો દેશ છે. મે ૧૮, ૧૯૭૪ના રોજ ભારતે પોકરણ ખાતે પહેલો અણુધડાકો કર્યા પછી જગતભરમાં હોબાળો મચ્યો. ૧૯૭૫માં અમેરિકાની સરદારી નીચે એ દેશોના પ્રતિનિધિઓ લંડનમાં ભેગા મળ્યા કે જેઓ અણુઊર્જાને લગતો સરંજામ નિકાસ કરે છે. ભારત પર તહોમત એ મૂકાયું કે અમેરિકાએ તથા કેનેડાએ તેને જે યુરેનિયમ તથા અણુરિએક્ટર વેચ્યાં તેમનો ઉપયોગ તેણે અણુબોમ્બ બનાવવા માટે કર્યો. આ દેશોએ તાબડતોબ ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG નામનું મોનોપલી જૂથ રચી દીધું. જૂથે સર્વસંમતિએ ઠરાવ્યું કે ભારત જેવા ‘આડે પાટે’ ગયેલા કે જાય તેવા દેશોને યુરેનિયમ, અણુરિએક્ટર, યુરેનિયમના સમૃદ્ધિકરણ માટેનાં સાધનો ઇત્યાદિ વેચવા નહિ.

આમ, ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG વાસ્તવમાં અણુક્ષેત્રે મુખ્યત્વે ભારતના હુક્કાપાણી બંધ કરાવાના આશયે રચાયેલું બહુરાષ્ટ્રીય સંગઠન છે. આજે તે સંગઠનમાં ચીન સહિત કુલ ૪૮ સભ્યદેશો છે, પણ ભારત નથી. અગાઉની કેંદ્ર સરકારોએ સભ્યપદ માટે કોશિશો પણ કરી નથી. વર્તમાન સરકારે ઝુંબેશ ઉપાડી અને રશિયા, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે અગ્રગણ્ય દેશોને ભારતની તરફેણમાં લાવી દીધા. આંતરરાષ્ટ્રીય સ્તરે ડિપ્લોમેટિક અભિયાન મુખ્ય ત્રણ કારણોસર ચલાવ્યું :

(૧) ભારત NSGનું સભ્ય થાય તો અણુશક્તિના ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેક્નોલોજિ મુક્ત આયાત દ્વારા વસાવવા-વાપરવાનો લાભ તેને મળે, જે પ્રતિબંધોને લીધે છેલ્લાં ચાલીસેક વર્ષ થયે મળ્યો નથી. 

(૨) અણુશક્તિની બાબતમાં આવશ્યક તમામ પ્રણાલી-પુરવઠો છૂટથી ઉપલબ્ધ થયા બાદ ભારત પરમાણુ શસ્ત્રોની રેસમાં પાકિસ્તાન કરતાં આગળ નીકળી શકે અને વખત જતાં ચીનનું સમોવડિયું બની શકે તે NSGનું સભ્યપદ હાંસલ કર્યાનો બીજો ફાયદો છે. ભારતની સરખામણીએ પાકિસ્તાન હાલ વધુ અણુશસ્ત્રો ધરાવે છે. અમેરિકી સૂત્રો મુજબ પાકિસ્તાન વર્ષેદહાડે ૨૦ અણુશસ્ત્રો તૈયાર કરી રહ્યું છે, જ્યારે ભારત ફક્ત ૫ બનાવે છે. આપણને તંગી યુરેનિયમની વરતાય છે. અણુપ્રસારને રોકતી સંધિ પર આપણે સહી કરી નથી, માટે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમ ખરીદી શકતા નથી. ભારત NSGનું સભ્ય થાય તો મુક્ત રીતે યુરોનિયમની ખરીદી થઇ શકે. 

(૩) લાત્વિયા અને બેલારૂસ જેવા ચિલ્લર દેશો પણNSGના સભ્યો છે. નવાઇ તો એ કે અમુક સભ્યદેશો અણુકાર્યક્રમ ધરાવતા જ નથી. આ દેશોના પ્રતિનિધિઓNSGની બેઠકમાં મંત્રણના રાઉન્ડ ટેબલ ફરતે ગોઠવાયેલા હોય અને બીજી તરફ એશિયન સુપરપાવરના દરજ્જે ઝડપભેર પહોંચવા માંડેલા ભારતે દરવાજાની બહાર રહેવું પડે એ સ્થિતિ માનભરી નથી. દુનિયાના ૪૮ જેટલા દેશોના વિશિષ્ટ જૂથમાં ભારતની ગણના ન થવાને લીધે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિભા તેમજ પ્રભાવ બેયને ધક્કો પહોંચ્યો છે.

આ જૂથમાં છેવટે ભારતને પ્રવેશ ન મળ્યો, કારણ કે એશિયામાં પોતાની રાજકીય તથા લશ્કરી વગ જાળવી રાખવા માગતું (અને ભારતને યુરેનિયમથી વંચિત રાખવા માગતું) ચીન અડચણો નાખ્યા વિના ન રહ્યું. આમ છતાં ભારતે કૂટનીતિની લાંબી કસરત એટલા માટે કરી કે વિશ્વમતને પોતાની તરફેણમાં લાવવો હતો અને ચીનને એકલું પાડી દેવું હતું. ટૂંકમાં, ભારતે (સફળતાપૂર્વક) માંડેલો ખેલ ડિપ્લોમેટિક હતો. એ વાત જુદી કે દેશનું બહુધા મીડિઆ તે ખેલ સમજી ન શક્યું અને ચીને ભારતનું સૂરસૂરિયું કરી નાખ્યાના ન્યૂઝ સાથે તેણે મામલો ચગાવ્યો.

by Safari science magazine -Harshal Pushkarna

Thursday, 11 August 2016

ઉજાણી પવૅ નિમિત્તે ટેલેન્ટ -2016

ઉજાણી પવૅ નિમિત્તે  જે ભાઈઓ અને બહેનોને ભાગ લેવાની ઈચ્છા હોય તેમને તારીખ :11/08/2016 થી દસ દિવસમાં પોતાની રીતે ઘરે તૈયારી કરવાની રહેશે. દસ દિવસ પછી નક્કી કરેલી તારીખે સિલેક્સન કરવામાં આવશે. જેનુ પર્ફોમ્સ સારું હશે તેને  સિલેક્ટ કરવામાં આવશે અને તેમને ટેલેન્ટ -2016માં ભાગ લેવા મળશે.
ટેલેન્ટમાં ભાગ લેવા નીચે દર્શાવેલ ભાઈઓ પાસે નામ નોધાવી જવા:
1) પટેલ રજતકુમાર આર. (નવાપરા)
2) પટેલ રાજકુમાર જયેશભાઈ. (ગામમાં)
3) પટેલ જૈમિનકુમાર શાન્તુલાલ. (જૂનાપરા)
4) પટેલ ચૈતન્યકુમાર મહેશભાઈ. (મોતીપરા)

નોધ: વધુ માહિતી માટે ડેરીનુ બોર્ડ જોતા રહેવુ.