પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઈ ના બ્લોગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

Tuesday, 15 September 2015

કંસારાકુઇ ગ્રામ ઉજાણી નો મહિમા: પ્રથમવાર વાંચો એક કથા સ્વરૂપે.....................

માનવજીવનમાં  ઉત્સવ-પ્રસંગોનું ખૂબ જ મહત્વ છે. ઉત્સવ-પ્રસંગ વિનાનું માનવજીવન પશુ જીવન જેવુ લાગે છે. એટલે જ આપણા પૂર્વજોએ આપણને જીવનમાં આનંદ ઉલ્લાસનો અનુભવ કરાવવાવાળા અનેક ઉત્સવો પ્રસંગો આપ્યા છે. દરેક તહેવાર પ્રસંગ વગેરેની એક અલગ ઓળખ આપી છે. તેની પાછળ માનવજીવનની દરેક બાબતને ધ્યાનમાં રાખીને ઉત્સવ ઉજવવાની રીત-રિવાજની ગોઠવણી કરી છે.

આવો જ આપણા ગામ  કંસારાકુઇ અને ત્તર ગુજરાતમાં દરેક ગામમાં ઉજવાતો  પરંતુ કંઈક  અલગ અનેરો ઉત્સવ એટલે ઉજાણી".
ઉજાણીનો પ્રસંગ આપણા માનવજીવન માં ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણા ગામની ઉજાણીનો ઉત્સવ ખૂબ જ અનેરો આનંદદાયક પ્રસંગ છે. તેની પાછળ પૌરાણિક માન્યતા, આપણા વડવાઓની એક અલગ જ ઉત્સવની ભેટ છે.

  પૌરાણિક માન્યતા : આપણા ગામમાં વષૉઁ પહેલા એક મહાન સંત-મહાત્મા શ્રી રામનાથ મહાદેવના મંદિરમાં રહેતા હતા. જેમનું નામ રૂપગીરીજી મહારાજ હતું. જેને આપણે ગુરૂ મહારાજ (નીચેનો ફોટો) નામથી  ઓળખીએ છીએ. આ પરોપકરી સંત મહાદેવની સેવા-પૂજા તથા ગામમાંથી ભીક્ષા લઈને જીવન ગુજારતા હતા. 
ગુરુ મહારાજ

ગુરૂ મહારાજને નાના બાળકો ખૂબ જ પ્રિય હતા. સામાન્ય રીતે નાના બાળકો સાધુ-બાવાને જોઇને ગભરાઇ જાય પણ ગુરૂ મહારાજતો બાળકોના વહાલા હતા. બાળકો તેમની પાસે રમવા દોડી જતાં. ગુરૂ મહારાજ નાના બાળકોને પોતાની પાસે રહેલા એક અક્ષયપાત્ર” માંથી સૂકી રાયણની(કોકડી)પ્રસાદી આપાતા હતા. આ અક્ષયપાત્રમાંથી કદીયે આ રાયણની પ્રસાદી ખુટતી જ નહોતી. બાળકો ખુશી -ખુશી ગુરૂજી પાસે રમવા દોડી જતા અને પ્રસાદીનો આગ્રાહ રાખતા. અક્ષયપાત્રને એક દિવસ ગુરૂ મહારાજની ગેરહાજરીમાં કોઈ અટકચાળા બાળકે જાણે-અજાણે ઊંધુ કરી દીધું. ગુરૂ મહારાજ જ્યારે બહારથી પરત આવ્યા ત્યારે અક્ષયપાત્રને ઊંધુ વાળેલુ જોઈ ખૂબ જ દુઃખ થયુ,તેમને થયું કે આ કોઈ બાળકનું કામ નથી પરંતુ કોઈ ઇષૉળુ વ્યકિતનું કામ છે.અને ગુરૂ મહારાજને ગામ લોકો પ્રત્યે અણગમો ઊભો થયો. મહારાજે ગામ છોડી દીધું અને અહીંથી ઉમતા નજીક રંગપુર નામના નાનકડા ગામમાં જઇ વસવાટ કર્યો અને થોડાક સમય પછી ત્યાં જીવતાં સમાધી લઈ લીધી. આ  બાજુ  ગુરૂ મહારાજના રીસાઈને ગામ છોડવાથી એક પરગજું,દયાળુ માણસનું દિલ દુભાવાથી ગામલોકો પર આફતો  આવવાની શરૂ થઈ. ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતા ગામલોકોમાં રોગચાળો ફાટી નીકળ્યો,પશુઓમાં રોગચાળો તથા મરણ વગેરે આફતો ઊભી થઈ. ગામના ડાહ્યા માણસો ભેગા મળી વિચાયુઁ કે આપણે એક સંતપુરુષનું દિલ દુભાવ્યુ છે,તેથી આ આફત આવી લાગે છે.માટે ગુરૂ મહારાજને માફી માગી મનાવી રાજી કરી ગામમાં પરત લાવવા જોઈએ. પરંતુ ગુરૂ મહારાજે તો સમાધી લઈ લીધી હતી. હવે શું?
મહાકાલી માતાજી
આ જ ગુરૂ મહારાજના ગુરૂભાઈ નજીકમાં જ આવેલા સુંશી ગામમાં રહેતા હતા તેમને ગામના વડીલો મળ્યા અને ગુરૂ મહારાજ વિશેની વાત કરી. આ સંત મહાત્માએ સમાધિ લગાવીને ઉપરોક્ત બાબત વિશે જાણી તેનો ઉપાય બતાવ્યો. તેમણે કહયું કે ભાદરવા માસની શુક્લપક્ષની તિથી અેટલે કે ભાદરવા મહિનાના પ્રથમ સપ્તાહે મારા ગુરુ મહરાજના નામે(સુંશી) સવાસેર ઘી નો દીવો મોકલવો,  ત્યાં જ્યોત પ્રગટે પછીથી સમગ્ર ગામના લોકો સહપરિવાર શુભમૂહૂર્ત જોઈ ગામ બહાર જતાં રહેવું. (પશુઓ સહિત).ત્યારપછી ત્યાં ચૂરમાના લાડુ અને ખીચડીનો પ્રસાદ તરીકે લેવું તથા શુભમૂહૂર્ત જોઈ સમગ્ર ગામ ફરીથી વસવાટ કરે તે રીતે પ્રથમ ગાયનું પૂજન કરી પ્રવેશ કરાવવો ત્યારપછી સમસ્ત ગામ સહપરિવાર પ્રવેશ કરવો.ભગવાનની,ગુરુમહારાજ અને માઁ મહાકાળીની (બાજુનો ફોટો) ક્રુપાથી સૌ સારાવાના  થશે.
આમ ઉપરોક્ત ઉપાય મળતાં ત્યારપછી દર વષેઁ  ગુરૂ મહારાજના નામની ઉજાણીનો પ્રસંગ ઉજવવાનું શરૂ કર્યું. અને ગુરૂ મહારાજના આશીર્વાદ  ફળતાં સમગ્ર ગામ આનંદ ઉલ્લાસથી રહેવા લાગ્યા. 



માહિતી સ્ત્રોત અને શબ્દ દેહ આપનાર  : અજય પટેલ ,વડીલોનું માર્ગદર્શન
ટાઇપિંગ  : રાહુલ પટેલ           

Sunday, 13 September 2015

અક્ષયજ્ઞાન – વિષય: બેન્કિંગ તારીખ: ૧૨/૦૯/૨૦૧૫


બેંક :
-ખાતા ના પ્રકાર.
-બચત ખાતુ: નિશ્ચિત દરે વ્યાજ આપે છે, મુખ્ય હેતુ નાણાની બચત કરવી.
-ચાલુ ખાતું: રોજબરોજની લેવડ - દેવડ કરવા માટે, બેંક વ્યાજ આપતી નથી,સેવા માટે બેંક જરૂરી  પૈસા વસૂલે છે.
-બાંધી  મુદતનું ખાતુ.-- ટૂંકી અને લાબી મુદત.
બચત ખાતુ :
-ખાતુ કઈ રીતે ખોલવશો ?
-બેંક ખાતામાં  ખાતું  ખોલાવવા માટે ઓળખ માટેના  જરૂરી  પુરાવા : પાસપોર્ટ,પાનકાર્ડ,ડ્રાઇવીંગ લાઇસન્સ, ચૂંટણી  ઓળખકાર્ડ
-બેંક ખાતામાં  ખાતું  ખોલાવવા માટે રહેઠાણ માટેના  જરૂરી  પુરાવા : વીજળી બિલ,રેશનકાર્ડ, ટેલીફોન બિલ.
-ATM
-ક્રેડિટ અને ડેબીટ કાર્ડ.
ચેક :
-ચેક અને ચેકના પ્રકાર.
-બેરર ચેક.
-ક્રોસ ચેક.
-અેકાઉંટ પેયી ચેક

- ડિમાન્ડ ડ્રાફ્ટ
- નેટ બૅન્કિંગ
- NEFT: National Electronic Fund Transfer
- RTGS: Real Time Gross Settlement
Inter Bank Transfer enables electronic transfer of funds from the account of the remitter in one Bank to the account of the beneficiary maintained with any other Bank branch. There are two systems of Inter Bank Transfer - RTGS and NEFT. Both these systems are maintained by Reserve Bank of India....

2. What is the minimum/maximum amount for RTGS / NEFT transactions under Retail Internet Banking?
Minimum / Maximum amount for RTGS / NEFT transactions under Retail Internet Banking
TypeMinimumMaximum
RTGSRs. 2 LakhsRs.5 Lakhs
NEFTNo MinimumRs.5 Lakhs
3. What is the minimum/maximum amount for RTGS / NEFT transactions under Corporate Internet Banking?
Minimum / Maximum amount for RTGS / NEFT transactions under Corporate Internet Banking
TypeMinimumMaximum
RTGSRs.2 LakhsRs.50 lakhs for Vyapaar and
Rs.500 crores for Vistaar
NEFTNo MinimumRs.50 lakhs for Vyapaar and
Rs.500 crores for Vistaar
4. When does the beneficiary get the credit for a RTGS payment?
Under normal circumstances the beneficiary Bank branch receives the funds in real time as soon as funds are transferred by the remitting Bank. The beneficiary Bank has to credit the beneficiary's account within two hours of receiving the funds transfer message.
5. When does the beneficiary get the credit for a NEFT payment?
As stated above, NEFT operates in hourly batches. Currently there are twelve settlements from 8 am to 7 pm on week days. Therefore, the beneficiary can expect to get the credit for the transactions put through between 8 am to 5 pm on weekdays on the same day. For transactions settled in the 6 and 7 pm batches on week days, the credit will be afforded either on the same day or on the next working day.
- બૅન્ક ચાર્જીસ
- પોસ્ટલ  બૅન્કિંગ

Genaral Knowledge:

RBI-Reserve Bank of India

SBI-State Bank of India

ICICI-Industrial Credit and Investment Corporation of India

BOB- Bank of Baroda

BOI-Bank of India

HDFC- Housing Development finance corporation limited

AXIS-UTI-United trust of India

IDBI-Industrial Development Bank of India

PNB-Punjab National Bank

UBI-Union Bank of India

DENA-Devkaran Nanjee
Dena Bank was founded on 26 May 1938 by the family of Devkaran Nanjee under the name Devkaran Nanjee Banking Company. It adopted its new name, Dena Bank (Devkaran Nanjee) .

BMB-Bharatiya Mahila Bank  is an Indian financial services banking company based in New Delhi, India. Former Indian Prime Minister Manmohan Singh inaugurated the system on 19 November 2013 on the occasion of the 96th birth anniversary of former Indian Prime Minister Indira Gandhi.

ATM-Automated Teller Machine

Sunday, 6 September 2015

અક્ષયજ્ઞાન – વિષય: આજના યુગમાં કોમ્પ્યુટર નું મહત્ત્વ અને તેનો ઉપયોગ. તારીખ: ૦૫/૦૯/૨૦૧૫


કોમ્પ્યૂટર :
-કોમ્પ્યુટર શું છે ?
-કોમ્પ્યુટરના વિવિધ ભાગો અને  ઉપયોગો
-કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર.
-માઇક્રોસોફ્ટ વર્ડ.
-માઇક્રોસોફ્ટ પાવરપૉઇન્ટ.
-માઇક્રોસોફ્ટ એક્સલ અને એક્સલનું મહત્ત્વ.
-અંગ્રેજી અને ગુજરાતી ટાઈપીંગ.
ઉપયોગ:
-રોજિંદા જીવન માં કોમ્પ્યુટરનો ઉપયોગ.
-વર્ડ,એક્સલ,પાવરપોઈન્ટનો ઉપયોગ.
-દરેકે  પોતાના વિચારો રજૂ કરવા.
-ફાયદા  અને ગેરફાયદા.
જનરલ નોલેજ :
દૂધસાગર ડેરી  :
-અેશિયાની બીજા નંબર ની  સૌથી  મોટી ડેરી.
-સ્થાપના :૧૯૬૩.
-GCMMF - Gujarat Co -operative Milk Marketing Federation Ltd.
-સૂત્ર:  The Pride of India.
-વેબસાઇટ: www.dudhsagardairy.coop
-સભ્યોઃ ૫,૨૦,૦૦૦ ખેડુતો.

Friday, 4 September 2015

સ‌િત્તેર વર્ષ પહેલાં વ‌િશ્વયુદ્ધમાં હારેલા જાપાને વ‌િશ્વબજારને શી રીતે જીત્યું ?

એક નજર આ તરફ...

Friday, September 4, 2015

તારીખ ૧૬મી ઓગસ્ટ હતી અને વર્ષ ૧૯૪૫નું હતું. દિવસ જે હોય તે ખરો, પણ જાપાનના ભવિષ્ય માટે તે ટર્નિંગ પોઇન્ટ સાબિત થવાનો હતો. બપોરના સમયે કેટલાક જાપાની વિચારકો ટોકિયોના એક જર્જરિત મકાનમાં ભેગા મળ્યા. મીટિંગનો અજેન્ડા સ્પષ્ટ હતો : આર્થિક રીતે ભાંગી પડેલા જાપાનના અર્થતંત્રને ફરી બેઠું કેમ કરવું ? સપ્ટેમ્બર, ૧૯૩૯થી શરૂ કરીને ઓગસ્ટ, ૧૯૪પ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રરાષ્ટ્રોના ભીષણ અને ભસ્માસુર બોમ્બમારાએ જાપાનને મોટા ભંગારવાડામાં પલટી નાખ્યું હતું. યુદ્ધમાં લગભગ ૩૦ લાખ જાપાનીઓ માર્યા ગયા હતા અને દેશની ચોથા ભાગની રાષ્ટ્રીય સંપદા નષ્ટ પામી હતી. અડધોઅડધ ઔદ્યોગિક એકમોનું હવે અસ્તિત્વ રહ્યું ન હતું. બોમ્બવર્ષાએ તેમને કાટમાળમાં ફેરવી નાખ્યા હતા, જ્યારે હિરોશીમા અને નાગાસાકી સમેત કુલ ૬૭ જાપાની શહેરોનો તો વધુઓછે અંશે સફાયો કરી દીધો હતો. બોમ્બમારામાં ટોકિયો, નાગોયા, ઓસાકા વગેરે જેવાં મોટાં શહેરોમાં બરબાદીનો આંક અનુક્રમે ૬૫%, ૮૯% અને ૫૭% હતો, જ્યારે ટોયામા નામનું એક નગર તો ૯૯% જેટલું નષ્ટ પામ્યું હતું. લાખો જણા પોતાનું ઘર, વેપાર યા નોકરી ગુમાવી ચૂક્યા હતા. કંગાલિયત, ભૂખમરો, માનસિક અજંપો તેમજ શારીરિક પીડા જેવી મુસીબતો તેમના માથે આવી પડી હતી. 

આજથી ૭૦ વર્ષ પહેલાં કરાયેલા અણુ- હુમલાએ જાપાનની લશ્કરી તાકાત હણી લીધી, પણ પ્રજાનું ખમીર હણાયું નહિ 

 આ અંધાધૂંધીભરી સ્થિતિમાં ઓગસ્ટ ૧૬ની બપોરે કેટલાક જાપાની વિચારકો ટોકિયોના ખંડિયેરછાપ મકાનમાં ભેગા થયા હતા. હજી આગલા જ દિવસે એટલે કે ઓગસ્ટ ૧૫, ૧૯૪૫ના રોજ પરાજિત જાપાને અમેરિકાને શરણાગતિનો પત્ર લખી આપ્યો હતો. યુદ્ધમાં હાર કબૂલી લીધાને હજી ચોવીસ કલાક પણ વીત્યા નહોતા ત્યાં પેલા વિચારકો ટોકિયોમાં જાપાનનું ભાવિ ઘડી રહ્યા હતા. લશ્કરી જંગમાં હારેલા જાપાનને વધુ એક યુદ્ધ માટે તૈયાર કરવાનો નિર્ણય તેમણે મીટિંગમાં લીધો. યુદ્ધ લશ્કરીને બદલે આર્થિક મોરચે ખેલાવાનું હતું. યુદ્ધની રૂપરેખા ટૂંકમાં આટલીઃ જાપાનના લકવાગ્રસ્ત અર્થતંત્રને દોડતું કરવા માટે ઔદ્યોગિક એકમો ઊભાં કરો, એ માટે જરૂરી નાણાં તેમને સરકારી બેન્કમાંથી સરળતાપૂર્વક તેમજ ઓછા વ્યાજદરે મળે તેવી જોગવાઇ કરો, આયાત પર અંકૂશ મૂકી ઘરઆંગણે ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારી દો અને પછી ઘરેલુ માલની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ મેળવો... આવાં બીજાં ઘણાંબધાં વિકાસલક્ષી પગલાં વિશે વિચારકોએ ગંભીર ચર્ચા કરી અને છેવટે જાપાનને ઔદ્યોગિક સુપરપાવર બનાવવાના મેગાપ્રોજેક્ટની બ્લૂપ્રિન્ટ ઘડી કાઢી. વિશ્વયુદ્ધ પછી જાપાનમાં રચાયેલી નવી સરકારે તે બ્લૂપ્રિન્ટને તત્કાળ અમલમાં મૂકી દીધી. યુદ્ધમાં ફટકા વેઠી ચૂકેલા ઔદ્યોગિક એકમોને સૌ પહેલાં તો સરકારી બેન્કમાંથી લોન અપાવી કાર્યરત બનાવવામાં આવ્યાં. યુદ્ધકાળમાં શસ્ત્રઉત્પાદન કરનારાં કારખાનાંને ઘરેલુ ચીજવસ્તુઓના પ્રોડક્શનનું કામ સોંપવામાં આવ્યું. દા.ત. મશીન ગન બનાવતું એક કારખાનું સિલાઇ મશીનના ઉત્પાદન તરફ વળ્યું. વિમાનો બનાવતી ઓસાકા ખાતેની ફેક્ટરી ખીલા-ખીલી અને સ્ક્રૂ બનાવવા લાગી. રેડારયંત્રના પૂરજા જ્યાં તૈયાર કરાતા એ ફેક્ટરીમાં લાઇટના બલ્બ બનવા માંડ્યા, તો નૌકાદળ માટે કાચના લેન્સનું ઉત્પાદન કરનારા (નિકોન નામના) ઔદ્યોગિક એકમે કેમેરાનું તેમજ બાયનોક્યુલરનું ઉત્પાદન હાથ ધર્યું.

આ તમામ એકમોને જાપાની સરકારે આપેલો આદેશ સ્પષ્ટ હતો : Growth now and profit later. આ ફરમાનના પગલે એકમોએ વિકાસની પોલિસિ અપનાવી જથ્થાબંધ ઉત્પાદન વડે પહેલાં ઘરેલુ બજાર સર કર્યું અને પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ઝંપલાવ્યું. આજે ટોયોટા, સુઝુકી, હોન્ડા, સોની, નિકોન, કેનન, મિત્સુબીશી, કેસિઓ, ફુજી, હિટાચી, નિપ્પોન, નિસાન, પેનાસોનિક, તોશિબા, યામાહા વગેરે જેવી ધૂરંધર કંપનીઓએ વૈશ્વિક બજારમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી દીધું છે. વિકાસ/ growth માટે વર્ષોના પરિશ્રમ પછી આજે તેઓ મબલખ નફો/ profit રળે છે.

નથી લાગતું કે Make In Indiaનું સૂત્ર સાર્થક કરવા માગતા ભારતે સૌ પહેલાં જાપાનનું Growth now and profit later સૂત્ર અમલમાં મૂકવું જોઇએ ? ઓગસ્ટ ૧પ, ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી તેની નજીકના અરસામાં જાપાનમાં પણ રાજકીય પલટો આવ્યો. આમ છતાં ૭૦ વર્ષમાં એ દેશે સાધેલી આર્થિક તેમજ ટેક્નોલોજિકલ પ્રગતિ ભારતની તુલનાએ અકલ્પ્ય છે. આજે જાપાનમાં ઉત્પાદન પામતી ૭૦% ચીજવસ્તુઓ દુનિયાભરમાં નિકાસ પામે છે, જ્યારે આપણે હજી આયાતી માલ પર મદાર રાખીને બેઠા છીએ. જાપાની ચીજવસ્તુઓ તેમજ જાપાની ટેક્નોલોજિ આપણે અપનાવી, પરંતુ અપનાવવા જેવું કંઇ હોય તો તે જાપાની પ્રજાની ખુમારી, ખમીર અને ખંત છે. Make In Indiaનું સૂત્ર ત્યારે જ સાકાર થશે. 

Posted by Harshal Pushkarna at harshalpushkarna.blogspot.in